વાંસળી ની શીખ….
રાધા ને કાન ની વાંસળી વૈરણ લાગતી. તે કહેતી – આ વાંસળીમાં એવુ શું છે કે તમે તેને એક ક્ષ્ણ પણ અળગી નથી મુકતા.
રાધા ને ચીઢવવા કાનો પણ કહે વાંસળી મારી સૌથી પ્યારી
– પાર વિનાનું હેત મને
– તુ તો કયારે પણ વાંસળી ની ઈર્ષા કરે
– એને કદી ન તારી ઈર્ષા થાય.
મારી ફુંકે સુરો ના અદભુત રવો પેદા કરે છતા તે કદી મને ન કહે – કાન તુ મારો પણ સદા મને કહે
– હું તારી – કાન હું તારી….
મમ્ – હુ – અને મારા ના વિષચક્ર માં વાંસળી ની વાત સમજવા જેવી નથી શું ? વાંસળી મંત્રમુગ્ધ કરીરે તેવા સુરો રેલાવે છતા કહે આમાં મારુ શું છે – આતો કાના ની ફુંક નો પ્રતાપ છે. હું તો પોલી વાંસળી – મારુ કશુ જ નથી – જે છે બધુ કાના નું છે ફુંક પણ એની, સુર પણ એનો અને હું પણ એની…. એવી નિર્મોહી વાંસળી કાના ને રાધા થી પણ પ્યારી કેમ ન હોય ?
પરમાત્મા ને પોતાનો ઠેકો, ઈજારો લઈ બેઠેલો ઈજારદારો એ રાધાપણુ કર્યું પણ વાંસળી કે મુરલી બન્યા ? અને એવુ અહંકાર વિનાનું જીવન જીવ્યા ?
– વિજય શાહ
વાંચકોના પ્રતિભાવ