દ્રષ્ટિભેદ

બુધ્ધ ભગવાન ના આદેશથી એમનો શિષ્ય બુધ્ધ ધર્મ ના પ્રચારાર્થે નીકળ્યો.
રસ્તામાં લોકો એ તેને વાર્યો – કહ્યું “ત્યાંના લોકો નગુણા છે તમને અપમાનીત કરશે, ધૃણીત કરશે.”
શિષ્ય નો જવાબ હતો – “એટલુ જ કરશે ને ? મારશે તો નહીં ને ?”
લોકો એ કહ્યું “મારે પણ ખરા – પથરા મારે”
જવાબ હતો – “પથરા જ મારશે ને ? મારીતો નહીં નાખે ને ?”
લોકોએ કહ્યું “મારી પણ નાખે – કંઈ કહેવાય નહીં. ગુસ્સો આવે અને હાથમાં હથિયાર હોય તો મારી પણ નાખે.”
જવાબ હતો – “ધર્મ ના પ્રચાર માં દેહ છુટે એનાથી રુડી મુક્તિ કંઈ ?”
લોકો બીવડાવતા હતા – પણ શિષ્ય નિડર હતો – દ્રષ્ટિભેદ ફક્ત એટલો હતો કે તે લોકો ની સારી બાજુ જોતો હતો – સારી રીતે પોતાને થતા દુખોને હલકા બનાવી ને જોતો હતો. જયારે તેને વારનારા ડરાવનારા – લોકોની માઠી બાજુ જોતા હતા – દુઃખો ને ભારે બનાવી ને બતાવતા હતા.
જે છે તેને ભારે બતાવીને જોનારો ડરપોક
જે છે તેને યોગ્ય રીતે જોનારો વ્યવહારુ
જે છે તેને હલકુ બનાવી જોનારો નીડર.
- વિજય શાહ








વાંચકોના પ્રતિભાવ