ખલીલ ધનતેજવી સાથે વિજય શાહ
જે કઠણ માટીને ઉથલાવી શકે
એ જ માણસ બીજ પણ વાવી શકે
તુ પવન છે આગ ભડકાવી શકે
પણ કદી દીવો ન સળગાવી શકે Read the rest of this entry »
ખલીલ ધનતેજવી સાથે વિજય શાહ
જે કઠણ માટીને ઉથલાવી શકે
એ જ માણસ બીજ પણ વાવી શકે
તુ પવન છે આગ ભડકાવી શકે
પણ કદી દીવો ન સળગાવી શકે Read the rest of this entry »
Here’s a way to fly home.
http://www.terrafugia.com/Video_News_Release.html
___________________________________________________
કેટલાકને સજા પણ ન કરી શકાય બરફની અગ્નિપરિક્ષા કરવા જતો અગ્નિ ઠરી જાય.
___________________________________________________________
દુઃખ એટલે વધુ પડતી અપેક્ષા અને સુખ એટલે સત્યનો (ભલેને તે કડવુ પણ હોય તો ય) સ્વિકાર
___________________________________________________________
શત્રુને ખતમ કરે તે વીર પણ શત્રુતાને ખતમ કરે તે પ્રવીણ . હારેલ શત્રુને ક્ષમા કરે તે મહાવીર.
__________________________________________________________
____________________________________
અધિકાર વિનાની જવાબદારીઓ એટલે ગુલામી જ ને?
———————————————————
તમારી સંમતી વિના કોઈ તમને હીણપત ના અનુભવાવી શકે
—————————————————————-
જેની સાથે તમને બનત ના હોય તેમની નીચે કામ ના કરાય
———————————————————–

વિશેષ આભાર- નીલમ દોશીનો જેમણે “તીર્થોત્તમ” મને ભેટ આપ્યું.
વાને શામળી તેથી શ્યામા તેના શ્યામ પાસે અને સાસરે હડધુત થયા કરે.. વળી દસ વર્ષનાં લાંબા દાંપત્ય જીવન પછી પણ નિઃસંતાન હોવાથી શ્યામ દારુની લતે ચઢ્યો. ભણેલી ગણેલી શ્યામા સફળતાથી ટ્યુશનનાં ક્લાસ ચલાવે અને શ્યામની લગભગ સમકક્ષ રહેતી તેથી શ્યામસુંદર ઠાકોરનો પારો હંમેશા ૧૦૨ ડીગ્રી પર રહે. અને પીન્નતમાં ગાળો ભાંડે- ”તુ કાળી જ્યારથી મારા જીવનમાં આવી ત્યારથી મારી જિંદગી મેશ કરી નાખી ” ” વાંઝણી તેં તો મારો વંશ કાઢી નાખ્યો” ” મારા જેટલુ કમાય છે તે કંઈ ઉપકાર નથી કરતી…તારા બાપનું ઘર ભરે છે..”
પણ ક્યારેક જ્યારે શ્યામાએ સવારનાં ઉઠતાવેંત લીંબુ પાણી આપ્યુ હોય અને સરસ ચા બનાવી હોય્..ત્યારે પાછો માફી પણ માંગી લેતો શ્યામ બધી તકલીફોનું કારણ દારુ ઉપર ઢોળી રાતની બૂમાબૂમ અને ગાળોનો લગ્નજીવનમાંથી બાદબાકી પણ કરી લેતો. શ્યામા આ ઠાગા ઠૈયા કરી સરતા જીવનથી ખુશ તો નહોંતી પણ એ કરે તો શું કરે? તેના બા અને બાપુજીએ તેના નામે ઘર લીધુ ત્યારે શ્યામને ખબર નહોંતી..પણ જ્યારે ખબર પડી ત્યારે ઉઠીને તેના મકાનમાંથી શ્યામાનું નામ કાઢી નાની બેન અને ભાણીયાનું નામ દાખલ કરી દીધું. Read the rest of this entry »
picture courtsey : Pooja Shah
હજી તો ગયા અઠવાડીયે તો નિખાર મને કહેતો હતો “આપણી ઝીલને તો હું દુનિયાનું સુખ આપવાનો છું. ભલેને તું મારાથી છુટી થઈ પણ ઝીલ આપણું સંતાન. અને તું મારો પહેલો પ્રેમ…”
ભૂતકાળમાં પ્રવેશતું કેતાનું મન…એક વખત તો કમકમી ગયું..કેટલી મુરખ હતી કે આવા ભોળા પતિને વારંવાર ત્રાસ આપીને ઘરે નાસી આવતી હતી. અને વિખવાદનું કારણ પણ શું? હું મારી ભાભીના ભાઈ સાથે વાતો કરું તે ના ગમે.. મારા પર વહેમાયા કરે.
અમેરિકાથી આવેલી ફોઈને આ વાતની જાણ થઈ ત્યારે તે કહે
“કેતા જે રીતે તુ આ વાત કરે છે તે રીતે જોવાને બદલે આને બીજી રીતે જો. પતિ તરીકે તારા ઉપર તેનો અધિકાર છે. અને પતિ તને કોઇની સાથે વાતો કરવાની ના પાડે તો તેમા તેનું આધિપત્ય અને છુપાયેલી ઇર્ષ્યા છે. આ પ્રેમનો પ્રકાર પણ હોઇ શકેને?” Read the rest of this entry »

તા.૨૩/૧૦
પ્રિય સુનીતા,
પુરુષને જે લભ્ય થતું નથી તેની ખેવના તે હરદમ કર્યા કરતો છે.તેને માટે પુરુષાર્થ કરતો રહેતો હોય છે,કોઇ પણ સિધ્ધિ અચાનક તો લભ્ય ન જ થાય.તે માટે એક યા બીજી પ્રકારની તપશ્ચર્યા આવશ્યક છે જ,’જ’ શબ્દ પર મુકેલો ભાર તું કદાચ નહીં સમજે. ચાલ, આજે તારી નજર સમક્ષથી સમગ્ર પડદો હટાવી દઉં, તારી સાથે મૈત્રી કેળવી ગાઢ કરવાનો એક જ આશય એ હતો કે મારા ઘવાયેલા વિચારોને થોડું સાંત્વન મળે. ન જાણે શાય કારણથી તારી સાથે વાત કરવાનું મને ગમતું. અને વળી તું મારી ‘હમખયાલ’ નીકળી તેથી હ્ર્દયના ખૂણે ધરબાઇ ગયેલી અવનિની સ્મૃતીઓ ફરી જાગ્રત થવા માંડી. કદાચ તું અવનિની પ્રતિકૃતી જેવી છે તેથી…
શું લખું…? શું ના લખું…? અવનિ માટે મારા હ્રદયમાં ખૂબ જ લાગણી હતી. આ ’ખૂબ જ’.શબ્દ પણ મને નાનો લાગે છે.એ લાગણીઓને જોખવામાં,પરંતુ સમય અને પ્રસંગોએ બતાવી દીધું છે કે આ લાગણીઓ ખોટી જગ્યા પર છે.જે વ્યક્તિને તું મનમાં ‘દેવી’ માને છે.તેને મનમાં તો તું કથીર છે.પુજારી નહી..અને તેથી જ હું લાગણીઓના આર્વિભાવમાં જબરદસ્ત ધોકો ખાઇ બેઠો..ઊંચા ઊંચા ગિરિશૃંગો પરથી હું અચાનક જ ગબડી પડ્યો,અને તેય જોજનો ઊંડી ખાઇમાં…કે જ્યાંથી સહીસલામત નીકળવું એ અંત્યંત કઠિન જ નહી પરંતુ લગભગ અશક્ય જેવું કાર્ય હતું. પરંતુ હવે શું કરવું ? હ્રદય તો આખરે હ્રદય જ છે…આંખમાંથી આંસુ નીકળે તો પુરષ-પુરુષ કહેવાય શાનો ?અને જો હ્રદય ધબકે નહીં તો હ્રદય શાનું ? ખૂબ જ દુ:ખ થયું પરંતુ આંસુને બહાર આવવા ન દીધાં. જડ્વત બનીને જિંદગીને જીવવાની જીજીવિષા થઇ આવી.પરંતુ એ રીતે જીવવા નો શો ફાયદો…? Read the rest of this entry »
કીર્તિકાંત પુરોહીત અને રશીદ મીર જેવા ઉત્તમ ગઝલકાર અને કવિ સાથે એક કલાકની બુધ સભા એ આગવું શમણું હતુ તે સાકાર થયુ ૧૭ જુન ની સાંજે પ્રેમાનંદ સાહિત્ય સભાની બેઠકમાં..જેનો બધો જ જશ આ બુધ સભાનો જાણીતો ગઝલકાર ભરત દેસાઈને જાય છે. ન્યુ જર્સી થી ફોન કરી મને અને કીર્તિકાંતભાઈ ને મેળવે છે.
સમયસર સૌ બુધ સભાનાં સભાસદો આવી ગયા અને રશીદ મીર સાહેબે પુષ્પકાંતભાઈને તેમની રચના સંભળાવવા કહ્યું અને સરસ રીતે તેમણે રજુ કર્યુ,
ને વતન બાદ બહુ વરસે મળ્યા બધા
આ મિલન આપણું તો લોટરી હતું
એ જ ગમખ્વાર અકસ્માત મને યાદ છે
એ ઇજાઓ મોતની કંકોતરી હતી
હવે વારો હતો પ્રતાપ સિંહ ડાભી નો જેઓ “હાકલ”ના નામથી લખે છે તેમણે તરન્નુમ માં ગાયું
જેમ ઉપચારો કરો વકરે વધુ,જખ્મની આદત તમે જાણો નહીં
શાહુકારી ઘરે લીધો છે જનમ,પ્રેમની લાગત તમે જાણો નહીં
જૈ અલખને ઓટલે આરાધજો, ભવની ભાવટ તમે જાણો નહીં
એમતો “હાકલ” કદી ના હારતો. કાલની થાપટ તમે જાણો નહીં
હવે વારો હતો નરેન્દ્ર જોષીનો
તુજ હવે સીધે રસ્તે વાળ મને, રખડેલ જેવું ગમતુ નથી આળ મને,
શોધી કાઢીશ ખુદાને પળવારમાં. સહેજ પણ કોઇ દે કંઈ ભાળ મને,
શમ્માથી તુ દાઝવા તો દે મને. એ પછી આખે આખો બાળ મને
ચાદર વણતા વણતા દુહા હું ય લખત્,કબીર જેવી ક્યાં મળી છે સાળ મને
સુભાષ પંચોલી “અક્ષર” કહે છે ..
આખુ જીવન જેની નિકટતા પામવા તરસ્યો
મારી નનામી જો હવે એની જ કાંધે છે
પરવા કરી ના કોઈએ એની હયાતીમાં
“અક્ષર” હવે ચાલી ગયો તો ખોટ સાલે
વકીલ નીરવ વ્યાસ કહે છે
કહો ક્યાં સુધી મૌન રાખુ, સરાસર
હવે કંઇક બોલી નાખું, સરાસર
બધાએ જ પુછ્યું ઝખમ જોઈને, તો
અમે પણ કહ્યું એને લાખુ, સરાસર
મને એમકે પૂછશો છંદ પિંગળ
તમે પૂછી નાખ્યુ પલાખું, સરાસર
રાજેન્દ્ર પાઠક, રશીદ મીર અને જગન્નાથભાઇ સુથારે પણ સુંદર મનોગમ્ય રચના કહી. વશી સાહેબ અને અન્ય સૌ મિત્રોનો શત શત આભાર કે મને બહુ આદર સહ ”પોતાનો”ગણી માન આપ્યું.અનુકુળતા થશે તો બીજી બુધ સભામા મારી તાજી છંદબધ્ધ રચના લઈને જઈશ.
વાંચકોના પ્રતિભાવ